GUJARAT : કોસંબાથી માલસામાન લેવા ગયેલો રાજસ્થાની વેપારી ગુમ: પોલીસે તપાસ શરૂ કરી

0
51
meetarticle

ભરૂચ જિલ્લાના પાંજરોલી ગામમાં રહેતા 27 વર્ષીય પ્રવિણસિંહ કેસરસિંહ ચૌહાણ ગુમ થયા છે. તેઓ મૂળ રાજસ્થાનના બગડ ગામના વતની છે અને હાલ પાંજરોલીમાં રહીને વેપાર કરે છે.

પ્રવિણસિંહ તેમના પરિવારને કોસંબાથી દુકાન માટે સામાન લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. તેઓ કોસંબા નવા બજાર સુધી પહોંચ્યા હતા, પરંતુ ત્યાર બાદ તેઓ ઘરે પાછા ફર્યા નહોતા.
પરિવારજનોએ તેમની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે, પરિવારે કોસંબા પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે ગુમ થવાનો ગુનો નોંધીને પ્રવિણસિંહની શોધખોળ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રવિણસિંહને શોધવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

REPOTER : કેતન મહેતા, ભરૂચ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here