RAJPIPALA : 425 વર્ષ પુરાણા રાજપીપલાના હરસિદ્ધિ મન્દિરનો પ્રાચીન ઇતિહાસ

0
63
meetarticle

આસ્થા અને શ્રદ્ધાને કારણે જ દેવો પૂજનીય કહેવાય છે.અને તેથી જ શ્રદ્ધા સાથે તેમના સ્થાનક બનાવી પૂજન-અર્ચન કરાય છે.નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપલા એ રિયસતી રાજવી નગરી ગણાય છે..આઝાદી પહેલા આ શહેર નાંદોદ તરીકે ઓળખાતું હતું.અને અહીં ગોહેલ વંશજો રાજ કરતા હતા. લોક વાયકા પ્રમાણે જેના નામથી વિક્રમ સંવત કહેવાય છે તે રાજા વિક્રમાદિત્યના વંશજોએ રાજપીપલામા રાજ્ય કર્યું હતું.અને તેમના જ વંશજ રાજા વેરીસાલજી મહારાજ ઉજ્જૈન ની સાથે સાથે રાજપીપલાના પણ ગાદી વારસ હોવાથી ઉજ્જૈન નિવાસીમાં હરસિદ્ધિને સાક્ષાત તેમની સાથે રાજપીપલા આવ્યા હોવાની દંત કથાપ્રચલિત છે.અને 425 વર્ષ પુરાણી આ પ્રાચિન મન્દિરનો આ ઇતિહાસ છે. આજે પણ સાક્ષાત માં હરસિદ્ધિ ઉજ્જૈન અને રાજપીપલામાં બિરાજે છે,આસો માસમાં હરસિદ્ધિ રાજપીપલા પધાર્યા હતા એવી લોકવાયકા છે

ઉજ્જૈનથી પધારેલા હરસિદ્ધિ માતા સાક્ષાત પધાર્યા હોવાનો ઇતિહાસ છે. જેમાં રાજા વેરીશાલજી મહારાજે રાજપીપલામાં માઁ હરિસિદ્ધિના મંદિર બંધાવ્યું હતું.હરસિદ્ધિ મા રાજવી પરિવાર ની કુળદેવી ગણાય છે. અહીં નવ દિવસ સવાર સાંજ આરતીમાં ભક્તોની હકડેઠઠ ભીડ જામે છે. ભક્તો દર્શન કરી માતાજીની બાધા આખડી મનોકામના પૂર્ણ કરે છે.
નવરાત્રીના નવ દિવસ માતાજી ની 6 સવારી ના દર્શન થાય છે જેમાં હાથીની સવારી, સિંહની સવારી, વાઘની સવારી, કુકડાની સવારી,મયુરની સવારી, ગાયની સવારીના દર્શન થાય છે. અહીં ભક્તોએ આપેલી સાડી શણગાર સાથે મુકવામાં આવે છે. રાજા રજવાડા વખતના કરોડોના સોના ચાંદીના ઘરેણા ટ્રેઝરિમાથી પોલીસ જાપ્તા સાથે નવ દીવસ લાવી માતાજીને ચઢાવાય છે.

રાજવી ઇતિહાસ:

રાજપીપળાની ગાદી પર 1650 ની આસપાસ ગોહિલ વંશ ના
પચ્ચીસમા ગાદીવારસ તરીકે શ્રી છત્રસાલજી મહા૨ાજ ગાદી ઉપર બેઠા હતા અને તેમની રાણી
નુ નામ નંદકુવરબા હતુ. તેઓ બંને ધાર્મીક અને માં હરસિદ્ધિ ના પરમ ઉપાસક હતા. માંની અસીમ
કૃપા થી ઇ. સ. 1630 તેમને ત્યાં પુત્ર નો જન્મ થયો. સમય જતા માતા પિતા ની માફક પુત્ર પણ દયાળુ,ધાર્મીક અને દેવીભકત થયા. તેમનુ નામ રાખ્યુવેરીસાલજી માતા પિતા નો ધાર્મીક વારસો તેમને
મળ્યો તેઓ પણ માતા પિતા સાથે જગત જનનીમા હરસિદ્ધિ ની ઉપાસના કરવા ઉજૈન જતા.
૧૨ વરસ ની ઉંમર દરમ્યાન તેઓ અનેક વખતઉજ્જૈન માંના દર્શનાર્થે જય આવ્યા. તેઓ પોતાની
માતા ને અનેક પ્રશ્નો પુછતા.માં હરસિદધી કયાંથીઆવ્યા. આ મંદિર કોણે બંઘાવિયુ વિગેરે. અને
માતાજી એમને સમજાવે કે દિકરા આ મંદિર માતાજી ના પરમ ઉપાસક મહારાજા વીરવિક્રમાદિત્યે બનાવેલ અને તેઓ મા હરસિદ્ધિને
કોયલા ડુંગર પરથી ઉજ્જૈની નગરી મા લઇ આવેલ.

આ વાત સાંભળી વેરિશાલજી ને વિચાર આવ્યો કે જો રાજા વિક્રમાદિત્ય માતાજી ને ઉજૈન લાવી
શકતા હોય તો હું કેમ માતાજી ને મારી નગરી માં ન લાવી શકી? બાળ વેરિશાલજી એ દર્શન કરતા
કરતા પુછી લઘુ કે માતાજી આપ મારી નગરી પધારો તો મારે આપના દર્શન માટે વારંવાર અહી
સુધી આવવુ ન પડે. આ કાલીધેલી વાત સાંભળી મહારાજા છત્રસાલજી અને માતા નંદકુવરબા હસી પડેલ. પરંતુ કુવરે ગંભીરતાથી જણાવેલ કે ખરેખર હં માતાજીની ભક્તિ કરીશ અને માતાજી
ને મારી સાથે રાજપીપળા લઇ જઇશ. અને પુજારીજી પાસેથી પૂજા વિધી અને મંત્ર“ઓમ
હરસિદ્ધિ યે નમ:” જાણી ને સમજી લીધો.

રાજપીપળા આવી ને માં હરસિદ્ધિ ની ઉપાસનામા લાગી ગયા. સમય જતા એ માતાજી ના પરમ
ભકત બની ગયા. ઇ.સ.૧૬૫૨ માં વેરીશાલજીના પિતા રાજા છત્રશાલજીનો સ્વર્ગવાસ થયો. આ
સમયે વેરીશાલજીની ઉંમર માત્ર ૨૨ વર્ષની હતી.૨૨ વર્ષની ઉંમરે તેમનો રાજયાભિષેક થયો. અને
તેઓ રાજપીપલાની ગાદી ઉપર બેઠા. તેમની ધાર્મિકતા અને મા હરસિધ્ધિની કૃપા દ્વારા
કુનેહપૂર્વક રાજય કારભાર ચલાવતા.પોતાની નીતિ અને સદભાવનાથી પોતાના રાજ્યના સમ્રગ પ્રજાજનોનું દિલ તેમણે જીતી લીધું હતું.

ગાદી પર બેઠા બાદ તેઓ સમય અનુસાર પોતાની કુળદેવી માતા હરસિધ્ધિના દર્શનાર્થે
ઉજજૈન જતા માં હરસિધ્ધિ પ્રત્યેની અતૂટ શ્રધ્ધા અને ભાવના ભક્તિથી પ્રસન્ન થયેલ માં હરસિધ્ધિ
એ ઇ.સ.૧૬૫૭માં સ્વગ્ન દ્વારા જણાવ્યું કે, હે બાળક, તારા વિંધ્યાચળ પ્રદેશમાં આવીને કાયમ
માટે વસવાટ કરીશું. મારી સાથે વીરવૈતાળ, મહાકાલેશ્વર મહાદેવ તથા બાલપીર આવશે.
પરંતુ મારી એક શર્ત છે. અને તે એ કે અમે તારી પાછળ પાછળ આવીશું. પરંતુ તારે પાછા વળીને
જોવાનું નહિ. જોતું અમારી આ શર્તનો જે સ્થળે ભંગ કરીશ ત્યાંથી અમે એક પણ ડગલું આગળ
વધીશું નહી. અને એટલું જ નહિ પણ તારે જે તે સ્થળે અમારા સ્થાનકો બનાવવા પડશે.
જો મારી શર્ત મંજુર હોય તો મને રાજપીપલા લઈ જવાની તારી ઇચ્છા હું પુરી કરીશ. અને હવે તું
જ્યારે ઉજ્જૈન આવીશ ત્યારે તારી સાથે અમે આવીશું. એટલું કહી માં હરસિધ્ધિ સ્વપ્રમાં અંતરધ્યાન થઈ ગયા. અને શ્રી વેરીશાલજીની
આંખો ખૂલી ગઈ. તેઓમાં હરસિધ્ધિનું સ્મરણ કરતાં ઉઠી ગયા. અને સ્નાનાદિ વિધિથી
પરવારીમાં ની પૂજનવિધિમાં લાગ્યા. પૂજનવિધઘી બાદ તેઓએ ઉજ્જૈન જવા માટે તૈયારી કરી તે
તરફ પ્રયાણ કર્યું. ત્રણ દિવસમાં
ઉજ્જૈન નગરીમાં જઈ સ્નાન વિધિથી પરવારી માતાજીના મંદિરમાં પૂજનવિધિ કરવા ગયા. શ્રી
માતાજીએ વેરીશાલજીની કસોટી કરી જોઈ.પૂજાની સામગ્રી લઈને મંદિરમાં તેઓ ગયા હતા.
તેમાં માં હરસિધ્ધિની જ માયા વડે કંકુ લેવાનુ ભૂલાઈ ગયું.

વેરીશાલજીનો નિયમ હતો કે પૂજામાં બેઠા પછી બોલવાનું નહિ તેમજ ઉઠવાનું પણ નહિ. પૂજા
કરતાં કરતાં ખ્યાલ આવ્યો કે પોતે કંકુ લાવવાનું ભૂલી ગયા છે. કંકુ મેળવવા મંદિરમાં આજુબાજુ
નજર દોડાવી પરંતુ માતાજીની માયાથી કંકુ વગર રાજા મૂંઝવણમાં મૂકાઈ ગયા. તેમને થયું કે હવે કરવું શું ?

દેવી ભક્ત રાજા વેરીશાલજીએ તુરત જ કટારી કાઢી પોતાની ટચલી આંગળી કાપીને માતાજીને
પોતાના રૂધિરનો ચાંલ્લો કર્યો. અને પૂજન વિધિપૂર્ણ કરી અને નમ્રભાવે પ્રાર્થના કરી કે, હે દયાળું
માતાજી મારા રૂધિરને કંકુને સ્થાને સ્વીકારશોજી અને મારી ભૂલચૂક હોય તે માફ કરશો. માતા
હરસિધ્ધિ વેરીશાલજીની પવિત્ર ભક્તિથી પ્રસન્નથઈ બોલ્યા : માંગ તારે જે જોઈએ તે માંગ.
રાજા વેરીશાલજીએ કહ્યું, હે માતાજી હું બધી જરીતે આપની કૃપાથી સંતુષ્ટ છું. પણ આપ મને જે
સ્વપ્રમાં કહ્યું હતું કે પ્રમાણે આપ મારે ત્યાં પધારો.માતાજીએ કહ્યું, મારી શર્ત તને યાદ છે ને ? એ
પ્રમાણે અમે આવીશું વેરીશાલજીએ કહ્યુ, માતાજી મને મંજુર છે. માતાજીએ કહ્યું આવતી
કાલે હું તારી સાથે જરૂરથી આવીશ.બીજે દિવસે સવારમાં વેરીશાલજી રાજા આનંદિત
વદને માતાજીના મંદિરે ગયા અને ભાવ ભક્તિપૂર્વક પૂજા કરી અને પ્રાર્થના કરી.માતાજીની આજ્ઞાની રાહ જોતા ઉભા રહ્યા.

એટલામાં જ આકાશવાણી થઈ કે હે રાજન ! તુતારા ઘોડા ઉપર આરૂઢ થઈને મનમાં
રાજપીપલાનું ધ્યાન ધર જેથી ઘણા જ ટૂંક હું સમયમાં એ સ્થળે પહોંચી જઈશ અને હું તારી સાથે જ પાછળ આવું છું.આ શબ્દો સાંભળી વેરીશાલજી અત્યંત ખુશ થઈ
અને માતાજીને નમસ્કાર કરી પોતાના ઘોડા ઉપરઆરૂઢ થયા.
ઘોડા ઉપર બેસતાની સાથે જ માં હરસિધ્ધિનાપ્રતાપથી ઘોડો ખૂબ જ ગતિથી જમીન પસારકરવા લાગ્યો.
માત્ર બે ત્રણ કલાકમાં જ પોતાના પ્રદેશમાં આવીપોંહેચેલો જોઈને રાજાના મનમાં થયું કે માતાજીએ
મને શું ભ્રમિત કર્યો હશે ? એવા અનેક તર્ક વિર્તકસાથે ૨ાજા પોતાની શર્તનું ભાન ભૂલી ગયા અને
શંકાથી પ્રેરાઈને પાછું વળીને જોવા લાગ્યા.પાછળ દ્રષ્ટિ કરતાં જોઈને માતાજીએ કહ્યું, હેવત્સ તેં મારી શરતનો ભંગ કર્યો છે. માટે હવે
અહીંજ અને અમે જ્યાં છે ત્યાં જ તું અમારાસ્થાનકો બંધાવજે, માતાજીના વચનો સાંભવીને
વેરીશાલજીને પોતાની ભૂલનું ભાન થયું.

જો કે માતાજી રાજપીપલાની હદમાં તો આવીગયા હતા જ, પરંતુ તેમની ઇચ્છા માતાજીને
પોતાના મહેલમાં પધરાવી મહેલમાં મંદિર બંધાવીદ૨૨ોજ માતાજીના ચરણોની સેવાનો લાભલેવાની હતી. પોતાની ભૂલનો તેમને બહુ જ
પસ્તાવો થયો છતાં માતાજીને એવી જ ઇચ્છા હશે કે શહેર બહાર પોતાનું સ્થાપન થાય માટે જ
રાજવી પોતાની શરત ભૂલી ગયા. માતાજીએ આજગ્યાએ વાઘ પર બિરાજીને રાજા વેરીશાલજીને
દર્શન આપ્યા હતા. આ દિવસ ઇ.સ..૧૬૫૭ ની સાલની નવરાત્રિના આઠમને મંગળવારનો દિવસ
હતો.
આ અષ્ટમીને મંગળવારને દિવસે જ શ્રીહરસિધ્ધિ માતાજી સવારે વેરીશાલજી સાથેનીકળ્યા અને તે જ દિવસે રાજપીપલા નજીક
આવીને શહેરની બહાર જ સંજોગોવસાત રોકાઈગયા. અને એજ જગ્યાએ રાજા વેરીશાલજીએભવ્ય મંદિર બંધાવ્યું. સાથે મહાકાળેશ્વર મહાદેવનું
મંદિર, વીરવૈતાળનું મંદિર તેમજ બાલાપીરનીદરગાહ પણ રાજા એ બંધાવ્યા. રાજા વેરીશાલજી
રોજ અહિં આવીને ભાવભક્તિ પૂર્વક સેવા પૂજાકરી જાય. પોતાની સાથે ઉજ્જૈનથી રાજપીપલા
માતાજી હરસિધ્ધિ પધાર્યા બાદ રાજાનોભક્તિભાવ વધી ગયો.

માતાજીનું મંદિર બંધાવ્યું. અને તેમની માતાએનંદપુર ગામમાં નંદકેશ્વર મહાદેવની સ્થાપના કરી.
અને તેમની યાદગીરીમાં નંદકેશ્વર મહાદેવનું મંદિરબંધાવ્યું. આ મંદિર ઇ.સ. ૧૬૬૦ માં બંધાવડાવ્યું
હતું. અને સમય જતાં નંદપુર ઉપરથી નાંદોદ નામથયું અને આજનું આ નંદોદ જૂના રાજ ઉપરથી રાજપીપલા કહેવાય છે.
ઈ. સ. ૧૭૦૭મા દુકાળ પડ્યો ત્યારે રાજા એમંદિર બહાર તળાવ અને પ્રયોગશાળા ની બાજુ
મા વાવ બનાવડાવી.મહારાજા
વેરીસાલસિહજીએ ૬૧ વર્ષ સુધી સારી રીતે રાજકરી ૮૫ વર્ષ ની ઉમરે ઈ.સ.૧૭૫૧ મા માતાજી ના
ધામમાં જવા માટે સદા ને માટે પોઢી ગયા.

તેમના પુત્ર જીતસિહે નંદપૂર થી રાજપીપળા ગાદી
ની સ્થાપના કરી. ત્યાર પછી પ્રતાપસિંહ, રાયસિહ,અજબસિહ, રામસિંહ, નહારસિહજી, બીજા
વેરીસાલસિહજી,ગંભીરસિંહજી, છત્રસાલસિહજી,વિજયસિહજી, રાજેન્દ્રસિંહજી, તથા હાલ ના
રધુવીરસિહજી.ગોહિલઅને તેમના પુત્ર યુવરાજ માનવેન્દ્ર સિંહ ગોહિલ છે.૧૯૫૦ મા માતાજી નું મંદિર
ગુજરાત સ૨કા૨ ને સોપાયુ ત્યાર થી ૧૯૭૩ સુધીગુજરાત સરકારે વહીવટ કર્યો. ત્યાર બાદ હાલ
વહીવટ હિંદુ દેવસ્થાન કમીટી પાસે છે.

ત્યારથી એટલે કે આજથી 425 વર્ષ પૂર્વે બિરાજેલામાં હરસિદ્ધિ રાજપૂત સમાજની નહિ સમગ્ર નર્મદા જિલ્લાની જિલ્લાની કુળદેવી તરીકે પૂજાય છે.અને તે દિવસ તે આસો નવરાત્રની એકમ હતી અને તેથી જ આ સ્થાનકે આસો માસ ના નવ દિવસ નવરાત્ર તરીકે ઉજવાઈ છે.

ભક્તોના દરેક કાર્ય સિદ્ધ કરવાની માં હરસિદ્ધિ નું રાજપીપલા સ્થિત મંદિર બારે માસ 365 દિવસ સવારે સાત વાગ્યે ખુલે છે અને રાત્રે 10 વાગ્યે બંધ થાય છે બપોરના કોઈ વિરામ સમય હોતો નથી દૂર દેશથી આવતા ભાવિકો અહીં મન મૂકીને દર્શન કરી શકે એવું આ એક માત્ર ધાર્મિક સ્થળ છે ખાસ કરીને રવિવાર અને મંગળવાર તથા પૂનમ ના દિવસે અહીં મેળા નું દ્રશ્ય સર્જાય છે અને હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે વળી દરરોજ સવારે 10 કલાકે અને સાંજે 7 કલાકે નિયમિત આરતી થાય છે પરંતુ આસો માસ ના નવરાત્રી ના દસ દિવસો દરમિયાન રાત્રે બાર વાગ્યે મહાઆરતી થાય છે અને આ આરતી માં પણ હજારોની જનસંખ્યા હોય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here