SURENDRANAGAR : ભલગામડા ગામમાં રામદેવપીરના નેજાની શોભાયાત્રા યોજાઈ

0
108
meetarticle

લીંબડી તાલુકાના ભલગામડા રોડ પર આવેલા રામદેવપીરના નકલંકધામ આશ્રમમાં રામદેવપીરના નોરતાના અંતિમ દિવસે ભાતીગળ લોકમેળો યોજાયો હતો. જેમાં પરંપરાગત રીતે ભાદરવી નોમના દિવસે મુળજી ભગતના નિવાસસ્થાનેથી લીલાપીળા નેજાની શોભાયાત્રાનું પ્રસ્થાન કરીને ગામના મુખ્ય માર્ગોે પર ફરી રામદેવપીરના મંદિરે નેજાંની ધજા ચઢાવવા આવી હતી.

તેમજ સંતવાણી સહિતના ધામક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં લીંબડી ધારાસભ્ય અને ભલગામડા ગામના વતની કિરીટસિંહ રાણાતાલુકા પંચાયતના પ્રમુખ પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણાસંજયભાઈ અમદાવાદીયા સહિતના ગ્રામજનોભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here