અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે કારમી હાર બાદ ભારત ગુરુવારે ચેન્નાઈમાં T20 વર્લ્ડકપ 2026ના મહત્વપૂર્ણ મેચમાં ઝિમ્બાબ્વેનો સામનો કરશે. 76 રનની હારથી ભારતના નેટ રન રેટમાં ઘટાડો થયો, જેના કારણે સેમીફાઈનલમાં પહોંચવાનો તેમનો માર્ગ વધુ મુશ્કેલ બન્યો. ભારત ઝિમ્બાબ્વે સામે મજબૂત પ્રદર્શન કરીને પોતાના અભિયાનને ફરી શરૂ કરવાનો પ્રયાસ કરશે. પરંતુ તેમની બેટિંગની મુશ્કેલીઓ ચિંતાનો વિષય છે.

ઈશાન કિશન અને શિવમ દુબે શાનદાર ફોર્મમાં છે, પરંતુ પાવર-હિટર અભિષેક શર્મા માટે ટુર્નામેન્ટ મુશ્કેલ રહી છે, તે સતત 3 વખત શૂન્ય પર આઉટ થયો અને સાઉથ આફ્રિકા સામે માત્ર 15 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા શરૂઆત પછી સારૂં રમી શક્યાં નથી, જ્યારે હાર્દિક પંડ્યા હજુ સુધી બેટિંગમાં ખાસ પ્રભાવ પાડી શક્યો નથી.

