માણાવદરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થીના શુભ મૂહુર્ત અને ચોઘડીયામાં ભક્તોએ ઘરે, મંદિરો, પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી પૂજા-અર્ચના કરી. દરમિયાન, ગણપતિબાપા મોરીયાનાં ગગનભેદી નાદથી માહોલ ગુંજી ઉઠયા
માણાવદરની બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને ગણેશજીની રંગોળી બનાવી હતી.ગણેશજીની પ્રતિકૃતિ ગણેશ મહોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
REPOTER : જીજ્ઞેશ પટેલ માણાવદર


