SURENDRANAGAR : સાયલાના ઓવગઢ ગામે મધ્યાહન ભોજનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

0
18
meetarticle

સાયલા તાલુકાના ઓવગઢ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં ચાલતી ગેરરીતિઓ મામલે ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમએસી)ના સભ્યોએ મામલતદારને ઉગ્ર રજૂઆત કરી છે.

ગ્રામજનોનો આરોપ છે કે વર્તમાન સંચાલક દ્વારા બાળકોને સમયસર ભોજન આપવામાં આવતું નથી અને પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા અત્યંત નબળી છે. આ ઉપરાંત, ભોજનના પુરવઠામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, અગાઉના સ્થાનિક સંચાલકનો હુકમ રદ કરી મોટા ભડલા ગામના નવા સંચાલકની નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટર કચેરીમાં અપીલની ૬૦ દિવસની સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં જ ઉતાવળે કરાયેલી આ નિમણૂક સામે અનેક સવાલો ઊભા થયા છે. ગ્રામજનોએ માંગ કરી છે કે ભ્રષ્ટ સંચાલકને તાત્કાલિક અસરથી દૂર કરી, ગામના જ લાયક ભૂતપૂર્વ સંચાલકને પુનઃ તક આપવામાં આવે જેથી બાળકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકી શકે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here