VADODARA : ખૂનના કેસમાં 9 વર્ષથી ફરાર કેદીને પકડવા વડોદરા પોલીસે યુપીની કંપનીમાં મજૂર બની કામ કર્યું

0
41
meetarticle

ખૂનના કેસમાં આજીવન સજા દરમિયાન પેરોલ પર ગયા બાદ પરત નહિ ફરેલા કેદીને ક્રાઇમ બ્રાન્ચે ૯ વર્ષ પછી ઝડપી પાડયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ-૨૦૦૨માં થયેલી હત્યાના બનાવમાં કમલસિંહ દિપચંદ સિંહ યાદવ(મવાના,મેરઠ,યુપી)ને આજીવન કેદની સજા થઇ હતી.

જુલાઇ-૨૦૧૬માં પેરોલ પર છૂટયા બાદ ફરાર થઇ ગયેલા કમલસિંહને શોધવા વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા હતા.હાલમાં તે દાદરી ખાતે સિમેન્ટની કંપનીમાં કામ કરતો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ શ્રમજીવી તરીકે કંપનીમાં બે દિવસ રહી હતી અને આરોપીને ઓળખીને ઝડપી પાડયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here