VADODARA : ડભોઇ નગરમાં આવેલો વડોદરી ભાગોળ નજીક બહુચરાજી માતાનું મંદિર નો મેળો યોજાયો

0
45
meetarticle

ડભોઇ નગરમાં આવેલો વડોદરી ભાગોળ નજીક બહુચરાજી માતાનું મંદિર નો મેળો સાંજે યોજાય છે જેમાં મોટી સંખ્યામાં બહુચરાજી માતાના દર્શન કરી મેળા નું મજા માનતા હોય છે ડભોઇ નગરી ના વડોદરી ભાગોળ નજીક આવેલ બહુચરાજી માતા ના મંદિર આઠમ નો મેળો યોજાયો હતો.

ડભોઇ માં આવેલ ચાર ઐતહાસિક ભાગોળો ની નજીક માતાજી બિરાજમાન છે જે પૈકી ડભોઇ ની વડોદરી ભાગોળ નજીક આવેલ બહુચરાજી માતા ના મંદિરે આસો સુદ આઠમ ના રોજ મહામેળા તથા નવચંડી નું આયોજન કરવામાં આવ્યું હતું.નવરાત્રી દરમિયાન 9 દીવસ આ મંદિરે આનંદ ના ગરબા નું આયોજન પણ કરવામાં આવે છે

જેમાં મોટી સંખ્યા માં ભાવિક ભક્તો આવી દર્શન કરી બહુચરાજી માતા ની આરાધના કરે છે.નવરાત્રી ના અઠમાં દિવસે આ મંદિરે ભવ્ય મેળો યોજાય છે જેમાં ખાણીપીણી ની લારીઓ ,રમકડાં ની હાટડીઓ,સહિત ભવ્ય મેળા નું આયોજન કરવામાં આવે છે જે મેળા માં મોટી સંખ્યા માં નગરજનો આવી માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here