VADODARA : પરીક્ષા સમિતિની બેઠકમાં પણ ચારે તરફ થયેલા ખોદકામ અંગે ચિંતા

0
10
meetarticle

શહેરમાં ઠેર ઠેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ કામગીરી માટે રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યા હોવાથી લોકો પરેશાન છે.બીજી તરફ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૬ ફેબુ્રઆરીથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે જિલ્લા કલેકટરે બોલાવેલી પરીક્ષા સમિતિની બેઠકમાં પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરાઈ હતી.

બેઠકમાં પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને તેમાં શહેરમાં ઠેર ઠેર થયેલા ખોદકામના કારણે બોર્ડ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ ટ્રાફિક જામમાં ફસાઈ શકે છે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી હતી.આ બાબતે ઈન્ચાર્ડ ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને વાલીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે ઘરેથી થોડા વહેલા નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.સાથે સાથે રીક્ષા ચાલક એસોસિએશનની પણ મદદ લેવામાં આવશે.જેથી કોઈ વિદ્યાર્થી રસ્તામાં અટવાયો હોય તો તેને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી શકાય.પરીક્ષા માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટલીક ઈમરજન્સીમાં વિદ્યાર્થીઓને રાઈટરની જરુર પડતી હોય છે.આવા વિદ્યાર્થીઓને રાઈટર માટેની અરજી સહિતની કાર્યવાહી કરવા માટે ડીઈઓ કચેરીનો ધક્કો નહીં ખાવો પડે.ડીઈઓ કચેરી દ્વારા વિદ્યાર્થીને સ્કૂલમાં જઈને રાઈટરની સુવિધા માટેની કાર્યવાહી કરી આપવામાં આવશે.

શહેર- જિલ્લાના ૨૬૭ પરીક્ષા કેન્દ્રો પર

ધો.૧૦ના ૪૪૫૮૧ અને ધો.૧૨ના ૨૮૦૯૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

તા.૨૫ ફેબુ્રઆરીથી ડીઈઓ કચેરી ખાતે કંટ્રોલ રુમ શરુ કરાશે, કરજણનો નવા કેન્દ્ર તરીકે સમાવેશ

–વડોદરા શહેર અને જિલ્લામાં ૨૬૭ પરીક્ષા કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ના ૭૨૬૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

–જેમાં ધો.૧૦ના ૧૫૬ કેન્દ્રો પર ૪૪૫૮૧ વિદ્યાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૭૩ કેન્દ્રો પર ૨૦૮૭૩ વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાાન પ્રવાહના ૩૮ કેન્દ્રો પર ૭૨૧૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.ધો.૧૨ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાાન પ્રવાહના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૮૦૮૭ થવા જાય છે.

–પરીક્ષામાં ગેરરીતિ આચરવાથી કયા પ્રકારની સજા થશે તેની જાણકારી સ્કૂલોના નોટિસ બોર્ડ પર મૂકવા સૂચના અપાઈ છે

–પરીક્ષા દરમિયાન વીજ કંપનીને પણ પરીક્ષા કેન્દ્રો પર પૂરવઠો ના ખોરવાય તે જોવા માટે તાકીદ કરાઈ છે.

–પરીક્ષા અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ ફરિયાદ હોય તો તેને ધ્યાનમાં રાખીને તા.૨૫ ફેબુ્રઆરીથી તા.૧૮ માર્ચ સુધી ડીઈઓ કચેરી ખાતે કંટ્રોલરુમ કાર્યરત રહેશે.

–સેન્ટ્રલ જેલમાં ધો.૧૦ અને ધો.૧૨ના બે કેન્દ્ર રહેશે.જેમં ૯ કેદીઓ ધો.૧૦ અને ૪ કેદીઓ ધો.૧૨ની પરીક્ષા આપશે.

–આ વખતે બોર્ડ પરીક્ષા માટે વડોદરા જિલ્લામાં કરજણનો ધો.૧૨ સાયન્સમાં નવા પરીક્ષા કેન્દ્ર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here