VADODARA : આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ

0
21
meetarticle

 વડોદરા નજીક આવેલા આલમગઢ ગામે એક મકાનમાં પરોઢિયે ભીષણ આગ લાગતા પરિવારજનો બચાવ થયો હતો.

કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક આવેલા આલમગઢ ગામે આજે પરોઢિયે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. આગ લાગતા જ પરિવારજનો જાગી ગયા હતા ને બહાર દોડી ગયા હતા. જેથી તેમનો બચાવ થયો હતો. 

આગ વધુ પ્રસરે તેમ હોવાથી ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. ફાયર બ્રિગેડ દ્વારા એક કલાક જેટલી કામગીરી કરવામાં આવી હતી અને આગ કાબુમાં લઈ આસપાસના મકાનો બચાવી લીધા હતા.

ઉપરોક્ત બનાવ અંગે પોલીસ દ્વારા પણ પ્રાથમિક વિગતો મેળવવામાં આવી હતી. આમ, ફરી એકવાર વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here