આગામીતા. ૧૫ ફેબ્રુઆરીએ યોજાનારી બરોડાક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈને વિવાદ વકર્યો છે. એસોસિએશનના મેનેજમેન્ટ દ્વારા મેચ ટિકિટ વિતરણ સ્થળ નાફેરફાર બાદ રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપે વિરોધ વ્યક્ત કર્યો છે.

આ બંને ગ્રુપનું કહેવું છે કે, અત્યાર સુધી બીસીએ સભ્યો માટે મેચનીટિકિટો મોતી ભાગ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા બાદમાં સંસ્કૃતિ હોલ (એલેમ્બિક) પરથી વિતરણ થતી આવી છે. ડબલ્યુ.પી.એલ. (મહિલા પ્રિમિયર લીગ)ની તમામમેચો દરમિયાન પણ આજ પરંપ રાગત સ્થળોએથી ટિકિટ વિતરણ થયું હતું. પરંતુ ડબલ્યુ.પી.એલ.ની એલિમિનેટર અનેફાઈનલ માટે અચાનક મોતીબાગને બદલે હિંદ વિજ ય જીમખાનાથી ટિકિટ વિતરણ કરાશે.
રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપે આફે રફારને ચૂંટલી પરિણામોને પ્રભાવિત કરવા માટેનો પ્રયાસ ગણાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, એલિમિનેટર અનેફાઈનલ જેવી મહત્વની મેચોના સમયે પરં પરાગત સ્થળોથી કામગીરી ખસેડીને હરીફ રિવાઇવલ ગ્રુપને તેમના પ્રભાવ ધરાવતા સ્થળોએ પ્રચાર માટેવિશેષ મંચ પૂરું પાડવામાં આવ્યું છે.
હિંદ વિજય જીમખાના તથારિવાઇવલ ગ્રુપ સાથે ગાઢ રીતે જોડાયેલા કેટલાક ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોઈ તેઓને અન્યાયી રાજકીય ફાયદો મળતો હોવાનો આક્ષેપ સાથે માગ કરી છે કે,વહીવટી પ્રક્રિયાતાત્કાલિક નિષ્પક્ષ બનાવવામાં આવે, જેથી બીસીએનું ભવિષ્ય વ્યૂહાત્મક હેરાફેરીને બદલે ન્યાયી રમતથી નક્કી થાય.

