વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ હસન અબ્દાલમાં ગુરુદ્વારા પંજા સાહિબ અને ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પુરાતત્વીય સ્થળની મુલાકાત લીધી હતી. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રીના સલાહકાર મુઝમ્મિલ અસલમે પણ અજય બંગા સાથે આર્થિક બાબતો પર ચર્ચા કરી હતી. નિવેદનમાં કહ્યુ છે કે વિશ્વ બેંકના પ્રમુખ, તેમની પત્ની અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ખૈબર પખ્તુનખ્વાના ખાનપુરમાં જૌલિયન બૌદ્ધ પુરાતત્વીય સ્થળની મુલાકાત લીધી હતી.
ખૈબર પખ્તુનખ્વા પુરાતત્વ વિભાગના ડિરેક્ટર જનરલ અબ્દુલ સમદે બંગાને પ્રાંતમાં પુરાતત્વીય વારસા વિશે માહિતી આપી, જેમાં બુદ્ધ સ્થળ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. પુરાતત્વીય સ્થળોના સંચાલન અને સેવાઓની પ્રશંસા કરતા, અજય બંગાએ અબ્દુલ સમદના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે પ્રાંતને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે તમામ શક્ય સમર્થનની ખાતરી પણ આપી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમને ખૈબર પખ્તુનખ્વામાં અન્ય પુરાતત્વીય સ્થળો અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અદજય બંગાએ અગાઉ હસન અબ્દાલમાં ગુરુદ્વારા પંજા સાહિબની મુલાકાત લીધી હતી. ત્યાં, તેમણે લંગરમાં પ્રાર્થના કરી અને ભોજન કર્યું હતુ. તેમની સાથે નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબ અને પંજાબ લઘુમતી બાબતોના મંત્રી સરદાર રમેશ સિંહ અરોરા પણ હતા. રમેશ સિંહ અરોરાએ જણાવ્યું હતું કે વિશ્વ બેંકના પ્રમુખની ગુરુદ્વારાની મુલાકાત સકારાત્મક સંદેશ આપશે. તેમણે કહ્યું કે તમામ ધર્મોના અનુયાયીઓ પાકિસ્તાનમાં સંપૂર્ણ ધાર્મિક સ્વતંત્રતાનો આનંદ માણે છે.
