અમરેલી: સાવરકુંડલાના આદસંગ ગામના સીમ વિસ્તારમાં બાબુભાઇ જેરામભાઇ વાઘેલા (ઉ.43) પર સિંહે હુમલો કર્યો હતો. બાબુભાઇની પીઠમાં સિંહે નખ મારતા લોહીલૂહાણ થયા હતા છતાં સિંહ સાથે બાથ ભીડી પોતાનો જીવ બચાવ્યો હતો. ધોળા દિવસે સિંહે હુમલો કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
બાબુભાઇએ બૂમાબૂમ કરતા આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા અને લોહીલૂહાણ હાલતમાં બાબુભાઇને રાજુલા સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા રાજુલા વન વિભાગની ટીમ પણ હોસ્પિટલે પહોંચી હતી.