ગુજરાતમાં પોલીસ બેઠામાં બદલીના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં જિલ્લા એસપીએ આંતરિક બદલી કરીને તમામને ચોંકાવી દીધા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એસપીએ 205 જેટલા પોલીસકર્મીઓની વહીવટી સરળતા માટે આંતરિક બદલી કરી છે. જેમાં કૉન્સ્ટેબલથી લઇને પીઆઇ વર્ગના પોલીસકર્મીઓ સામેલ છે.મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરમાં જિલ્લા એસપીએ અચાનક બદલી ઇશ્યૂ કરતા પોલીસ બેઠાંમાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો છે. માહિતી એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લા એસપી, પોલીસ વડા ડૉ. ગિરીશ પંડ્યાએ વહીવટી સરળતા ખાતર સામૂહિદ બદલીના ઓર્ડર ઇશ્યૂ કર્યા છે, જેમાં 205 જેટલા પોલીસકર્માઓ સામેલ છે. જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં અલગ-અલગ પોલીસ ડિવિઝનના અંદાજે ૨૦૫ જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલી સુરેન્દ્રનગર એ ડિવિઝન, વઢવાણ, જોરાવરનગર, બી ડિવિઝન સહિત ધ્રાંગધ્રા, લીંબડી, પાણશીણા, સાયલા, થાન, મૂળી, લખતર પોલીસ મથકના પોલીસ કર્મચારીઓની કરવામાં આવી છે. આમાં કૉન્સ્ટેબલ, હેડ કૉન્સ્ટેબલ તેમજ એએસઆઈ વર્ગના પોલીસ કર્મચારીઓ સામેલ છે, આ બદલીથી પોલીસ બેડામાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો છે.