Tuesday, April 30, 2024
Homeરાજસ્થાન સુંધામાતા મંદિર ના ટ્રસ્ટી મહેન્દ્રસિંહ દેવલનું અકસ્માતમાં નિધન.....
Array

રાજસ્થાન સુંધામાતા મંદિર ના ટ્રસ્ટી મહેન્દ્રસિંહ દેવલનું અકસ્માતમાં નિધન…..

- Advertisement -
લગ્ન માંથી પરત ફરતી વખતે જસવંતપુરા પાસે અકસ્માત સર્જાયો.
રાજસ્થાન સુંધા માતાજી ના મંદિર ના વ્યવસ્થાપક મહેન્દ્રસિંહ દેવલ નું શુક્રવાર ના રાત્રી ના સમય લગ્ન માંથી પરત ફરતી વખતે  ગાડી નો અકસ્માત સર્જાતા વ્યવસ્થાપક આગેવાન નું ઘટના સ્થળે મોત નિપજતા ભારે અરેરાટી મચી જવા પામી છે
જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાન સુંધા માતાજી મંદિર માં ઘણા સમય થી વ્યવસ્થાપક  તરીકે સેવા આપતા મહેન્દ્રસિંહ દેવલ લગ્ન પ્રસંગ માં ગજાપુર ગયા હતા.ત્યારે પરત ફરતી વખતે માલવાડા ના જસવંત9 પુરા પાસે  ગાડી પ્રવેશ દ્વાર પાસે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વ્યવસ્થાપક મહેન્દ્રસિંહ દેવલ ને ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટના ની જાણ થતાં સુંધા માતા મંદિર ના ટ્રસ્ટી ના સભ્યો દોડી આવ્યા હતા. જેમાં વ્યવસ્થાપક મહેન્દ્રસિંહ દેવલ સેવા ભાવિ અને સરળ સ્વભાવ ના વ્યક્તિ હતા. એકાએક અકસ્માતમાં તેમનું નિધન થતા જસવંત પુરા અને માલવાડા માં લોકો માં શોક જોવા મળી આવ્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular