ચાલો જાણીએ કે 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે. તો મેજર ધ્યાનચંદ સિંહ જેમને હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે તેમનો જન્મ 29 ઓગસ્ટ 1905 માં ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો રાજપુત પરીવારમાં રામેશ્વર સિંહ તેમના પિતા બ્રિટીશ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવતા હતા તેઓ પણ હોકી રમતા હતા પિતા આર્મીમાં હતા
તેથી વારંવાર બદલી થવાથી ધ્યાનચંદ નું ભણવામાં ઠેકાણું પડ્યું નહીં અને ધોરણ છ પછી ધ્યાનચંદ અભ્યાસ છોડી દીધો હતો ભારતીય હોકીના ઉજ્જવડ ઇતિહાસના પાને પાને હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે આમ તો તેમણે જે સફળતા મેળવી તે ભારતના ગુલામી કાળમાં હતું પરંતુ ભારતીય ના કૌશલ્યને દુનિયા જાણતી ન હતી ત્યારે અંગ્રેજ સરકાર નહીં પણ ભારતીય નું નામ રોશન કર્યું હતું વિઝારડ ઓફ હોકી તરીકે ફેમસ ધ્યાનચંદ વિશે કહીએ તો પ્રબળ સાહસ હોય તો અભાવ ખાસ નડતા નથી હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ સેન્ટર ફોરવર્ડ માં રમતા એ જ્યારે ગોલ કરતા ત્યારે સામેના ખેલાડીઓ લાચાર બની જતા હોકી આમ તો ટીમ વર્કની રમત છે પરંતુ મેજર ધ્યાનચંદ એકલા જ સામેની ટીમોનો પરાજય કરી નાખતા એટલે ધ્યાનચંદ ના યુગ ને ભારતીય હોકીનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે
સ્ફૂર્તિ થી દોડીને ગોલ કરવાનો અદભુત પાવર તેમના માં હતો હોકીમાં ધ્યાનચંદ જેવા ખેલાડી વિશ્વમાં આજ દિન સુધી થયા નથી ક્રિકેટમાં જે સ્થાન ડ્રોન બ્રેડમેન અને ફૂટબોલમાં મરાડોના નું છે એવું સ્થાન હોકીમાં મેજર ધ્યાનચંદ નું છે
ધ્યાનચંદ બાળપણમાં લીમડાના લાકડા માંથી હોકી બનાવતા હતા અને જૂના કપડામાંથી બોલ બનાવતા હતા 15 વર્ષની ઉંમરે ધ્યાનચંદ સેનામાં જોડાયા અને તેમને સારી રીતે હોકી રમવાનું શરૂ કર્યું. સબેદાર ભોલે તિવારી એ એમને માર્ગદર્શન આપ્યું અને તેમનું ઉપનામ ધ્યાનસિહ ની જગ્યાએ ધ્યાનચંદ રાખ્યું એમના ગુરુએ એમને કહ્યું હતું કે એક દિવસ એ આખી દુનિયામાં ચાંદની જેમ ચમકશે એટલે લોકો એમને ધ્યાન સિંહની જગ્યાએ ધ્યાનચંદ તરીકે ઓળખવા લાગ્યા નાની મોટી રમતો રમીને એમને આગવી ઓળખ બનાવી અને એમને હોકી ના વિઝાડ તરીકે પણ લોકો ઓળખવા લાગ્યા ધીમે ધીમે ધ્યાનચંદ નેશનલ અને ઇન્ટરનેશનલમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી.
ઓલમ્પિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ 1928માં એમસ્ટર્ડમ ઓલમ્પિક માં જીત્યો અને બીજો ગોલ્ડ મેડલ 1932માં લોસ એન્જેલસ અને ત્રીજો ગોલ્ડ મેડલ 1936 માં બર્લિન ઓલિમ્પિકમાં અપાવ્યો જર્મની સામે ફાઇનલ રમતા ધ્યાનચંદ એ ખુલ્લા પગે હોકી રમીને ત્રીજો ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો હતો સતત ત્રણ ઓલમ્પિકમાં ધ્યાનચંદે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ધ્યાનચંદની પ્રતિભા જોઈને હિટલરે જર્મન સૈન્યમાં ધ્યાનચંદને ઉચ્ચ પદની ઓફર કરી હતી. ધ્યાનચંદને ભારત માટે ખૂબ જ પ્રેમ હતો તેમણે નમ્રતાથી આ ઓફર નો અસ્વીકાર કર્યો તેમણે 1948 સુધી હોકી રમવાનું ચાલુ રાખ્યું ત્યાર પછી તેમણે 42વર્ષે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી આ પછી પણ તેઓ સેનામાં હોકી રમવાનું ચાલુ રાખ્યું હતું અને છેક 1956 સુધી પોતે હોકી રમતા હતા 1956માં ધ્યાનચંદ ને ભારતના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા તેમના જન્મદિવસે 29 ઓગસ્ટ ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે આખા ભારતમાં રમતગમતની ઉજવણી કરવામાં આવે છે ધ્યાનચંદ ની યાદમાં ટપાલ ટિકિટ પણ શરૂ કરવામાં આવી હતી. ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ દિલ્હીમાં બનાવવામાં આવ્યું. ધ્યાનચંદ પુરસ્કારમાં પહેલા પાંચ લાખનું પુરસ્કાર આપવામાં આવતું હતું ત્યારબાદ 10 લાખ કરવામાં આવ્યું. ખેલ મંત્રી દ્વારા દર 10 વર્ષે પુરસ્કારમાં સુધારો કરવામાં આવે છે ધ્યાનચંદ પોતાને સારા ખેલાડી અને સારા નાગરિક સાબિત કર્યા હતા અને ત્યારબાદ તેમણે પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. પરંતુ ધ્યાનચંદને ભારત રત્ન પુરસ્કાર મળે એ માટે માંગ કરવામાં આવી છે ભારતના સર્વોચ્ચ પુરસ્કારની વાત કરીએ તો રાજીવ ગાંધી ખેલરત્ન ના પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રાખવામાં આવ્યું છે નેશનલ રમત ગમતના દિવસે રાષ્ટ્રપતિ ના રમતગમત સંબંધિત પુરસ્કાર એનાયત કરવામાં આવે છે જેમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન, અર્જુન પુરસ્કાર અને દ્રોણાચાર્ય પુરસ્કાર એવોર્ડ આપવામાં આવે છે સૌથી મોટા પુરસ્કાર એ મેજર ધ્યાનચંદ ખેલ જગતનો એવોર્ડ છે જે વર્ષ 1991-92 માં શરૂ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડમાં મેડલ, પ્રમાણપત્ર અને 25 લાખ રૂપિયા રોકડા પુરસ્કાર આપવામાં આવે છે
આથી ધ્યાનચંદ ના જન્મદિવસે 29 ઓગસ્ટ ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે આખા ભારતમાં રમતગમતની ઉજવણી કરવામાં આવે છે ભારત રત્ન આપીને સન્માન થવું જરૂરી છે એવું તેમના ચાહકો આજે પણ માને છે ધ્યાનચંદ જેવી મહાન વ્યક્તિને ભારત રત્ન મળે તે એવોર્ડની શોભા સમાન છે.
દર્શના પટેલ -(નેશનલ એથ્લેટ મેડાલિસ્ટ)
અમદાવાદ





