PAVI-JETPUR : કદવાલ ગામે બે નાળા નવા બની ગયા છતાં એસ ટી બસ ગામમાં મેન બસસ્ટેન્ડ પરના આવતા ગામ તથા આજુ બાજુના ગામલોકોમાં આકોશ

0
100
meetarticle

પાવી જેતપુર તાલુકા ના કદવાલ ગામે ગત ઉનાળામાં જુના જર્જરિત નાળા તોડી નવા બનાવવામાં આવિયા હતા તે નાળા બનિયાં આશરે ચાર માસ ઉપરાંત સમય થઈ ગયો હોવા છતાં એસ ટી બસ કદવાલ મેન ગામ ના બસસ્ટેન્ડ પર ન આવતા ગામ લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે

કદવાલ તથા આજુબાજુ ના ગામોના લોકો તથા વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગ ના લોકો ને ચાલીને કદવાલ ચોકડી બજાર માં એસ ટી બસ માં બેસવા જવું પડે છે હાલ બીમારીઓ ચાલી રહી હોય તેવામાં કદવાલ, સિગાપુરા, નાથપુરા, નાના અમાદરા, મોટા અમાદરા જેવા અનેક ગામોના લોકોને ચાલતા એસ ટી બસ માં બેસવા માટે જવું પડે છે

હાલ ચોમાસા ની ઋતુ ચાલી રહી હોય તેવામાં લોકોને ચાલતા જવા મજબુર બનવું પડે છે તયારે આ એસ ટી બસો ને કદવાલ ગામના મેન બસસ્ટેન્ડ પર અંદર કદવાલ ગામમા લાવા લોકો ની માગ ઉઠી છે અને દરેક એસ ટી ડેપો ના લાગતા વગતા અધિકારીઓ આ લોકો ની સમસ્યાઓને દયને લઇ તમામ એસ ટી બસો કદવાલ ગામના મેન બસ સ્ટેન્ડ સુધી લાવવા આદેશ કરવા જોઈએ તેવી લોકો ની માગ છે…..

રિપોર્ટર :ઈરફાન મકરાણી,કદવાલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here