સંતરામપુર તાલુકાના સુરપુર ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં નિયમિત રૂપે અનાજ અને કૂપન ના આપતાં દુકાન સંચાલક વિરુદ્ધ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજ રોજ મોટી સંખ્યામાં દુકાન પાસે ભેગા થઈ ગ્રાહકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દુકાનકર્તા સતત ગેરહાજર રહે છે અને ગ્રાહકોને તેમના હકનું અનાજ તથા કૂપન પણ આપતો નથી.

આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સંતરામપુર ગામના સરપંચ, મામલતદાર તથા પ્રાંત અધિકારીને ટેલિફોનિક રીતે રજુઆત કરાઈ હતી. આ પછી તંત્ર તરફથી સંતરામપુર તાલુકા મામલતદાર તથા પુરવઠા મામલતદારની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ બંને પક્ષોની વાત સાંભળી અને દુકાન સંચાલકને તાકીદ કરતા જણાવ્યું કે આવતીકાલથી તમામ ગ્રાહકોને પૂરું અનાજ અને કૂપન આપવા પડશે. તેમજ અને આવી કોઈ ફરિયાદ અવે આવશે તો દુકાનનું લાઇસન્સ રદ કરવામાં આવશે.
સંતરામપુર તાલુકા પ્રશાસનની અસરકારક હસ્તક્ષેપ બાદ મામલો શાંત થયો હતો અને બંને પક્ષો સંતોષ સાથે પોતાના કામે આગળ વધ્યા હતા. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી કે તમામ ગ્રાહકોને આગામી સમયમાં કોઇ અડચણ વિના સરકાર દ્વારા મળતું અનાજ સમયસર મળી રહેશે.
વધુ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે!
રિપોર્ટર :સંદીપ દેવાશ્રયી,મહીસાગર…

