SURENDRANAGAR : બાવળાના ટાવર ચોકમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા

0
37
meetarticle

બાવળા શહેરમાં કુંભારવાસના નાકેથી લઈ ટાવર ચોક બજાર સુધીના મુખ્ય માર્ગો પર ગટરોની કૂંડીમાં ઢાંકણાના અભાવે દૂષિત પાણી ઉભરાવાની સમસ્યા કાયમી બની છે. દૂષિત પાણી રસ્તા પર રેલાતા જાહેર માર્ગો પરથી પસાર થતાં રાહદારીઓ અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

?સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગટરો પર ઢાંકણા ન હોવાથી બહારનો કચરો સીધો ગટરોમાં જાય છે. આ કચરાના કારણે ગટરો અવારનવાર ભરાઈ જાય છે અને પરિણામે ગંદુ પાણી ઉભરાઈને રસ્તા પર આવી જાય છે. ?આ વિસ્તારમાંથી સફાઈ કર્મચારીઓ નિયમિતપણે પસાર થાય છે, પણ યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવતી નથી, તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે અને ગટરો પર ઢાંકણા મૂકીને નિયમિત સફાઈ કરવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here