VADODARA : પવિત્ર યાત્રાધામ નારેશ્વરના ઘાટ પર મગરે દેખા દીધી

0
16
meetarticle

વડોદરા શહેરમાં વિશ્વામિત્રીની સાથે સાથે હવે આસપાસની નદીઓમાં પણ મગરોનો વસવાટ જોવા મળી રહ્યો છે. 

વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલા નારેશ્વર ગામમાં પણ નર્મદા નદીમાં મગર જોવા મળી રહ્યો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીં ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. ઉપરોક્ત સ્થળે રેતી ખાનનું પણ મોટેપાને કામ ચાલી રહ્યું હોવાથી મગર નાસભાગ કરતા હોય છે. 

આજે સવારે નર્મદાના ઘાટ ઉપર મગરે દેખા દેતા ભક્તજનો અને ગામ લોકો ભેગા થઈ ગયા હતા. વગેરે કોઈ જળચર જીવનો શિકાર કર્યો હોય તેમ લાગી રહ્યું હતું. આ બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here