ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા 100 ટકાના ઉછાળા બાદ એર ઈન્ડિયાએ 8 એપ્રિલથી ભાડામાં વધારો કર્યો છે. હવે એરલાઈન અંતરના આધારે રૂ. 299થી રૂ. 899 સુધીનો સરચાર્જ આપવો પડશે. અગાઉ માર્ચમાં કંપનીએ રૂ. 399નો ફ્લેટ રેટ રાખ્યો હતો, પરંતુ હવે તેને ‘ડિસ્ટન્સ બેઝ્ડ ગ્રીડ’ માં ફેરવી દેવામાં આવ્યો છે.
શા માટે વધ્યા ભાવ?
ક્રૂડ ઓઈલમાં ભડકો: ફેબ્રુઆરીના અંતમાં જેટ ફ્યુઅલનો ભાવ 99.40 ડોલર હતો, જે 27 માર્ચ સુધીમાં વધીને 195.19 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
રિફાઈનરી માર્જિન : ઈંધણને રિફાઈન કરવાનો ખર્ચ માત્ર ત્રણ અઠવાડિયામાં ત્રણ ગણો વધી ગયો છે, જે એરલાઈન્સ માટે મોટો પડકાર છે.

અંતર (કિમીમાં)
નવો સરચાર્જ (રૂપિયામાં)
0થી 500 કિમી
299
501થી 1000 કિમી
399
1001થી 1500 કિમી
549
1501થી 2000 કિમી
749
2000 કિમીથી વધુ
890
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે સરચાર્જ (ડોલરમાં)
