Wednesday, May 1, 2024
HomeગુજરાતGUJARAT: મોરબીના રફાળેશ્વર પાસે હાઇવે પર ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ

GUJARAT: મોરબીના રફાળેશ્વર પાસે હાઇવે પર ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ

- Advertisement -

મોરબીના રફાળેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.આગની ઘટનામાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે

નેશનલ હાઇવે પર રફાળેશ્વર નજીક સરોવર પોર્તિકો હોટેલની બાજુમાં આવેલી સીટ કવર બનાવતી કંપનીના અચાનક આગ લાગી હતી. આગે થોડી જ વારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગનાં ધુમાડા દૂરથી દેખાઈ રહ્યા હતા. આગની દુર્ઘટનાની મોરબી ફાયર બ્રિગેડને જાણ થતાં તાત્કાલિક ફાયરની ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.આ ભીષણ આગની ઘટનામાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. હજી સુધી કોઈ જાનહાનીની વિગતો પ્રાપ્ત થઈ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular