Saturday, May 4, 2024
HomeગુજરાતGUJARAT: મિત્રો સાથે ચાલવા નીકળેલા યુવકને ચક્કર આવતા પડી જતા મોત

GUJARAT: મિત્રો સાથે ચાલવા નીકળેલા યુવકને ચક્કર આવતા પડી જતા મોત

- Advertisement -

મિત્રો સાથે ચાલવા નીકળેલા ૨૮ વર્ષના યુવકને અચાનક ચક્કર આવતા તે પડી ગયો હતો. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાણીગેટ બાવામાનપુરા ગોસિયા ફ્લેટની સામે રહેતો ૨૮ વર્ષનો આરિફ સલીમભાઇ મનસુરી છૂટક મજૂરી કરે છે. ગઇકાલે રાતે તે મિત્રો સાથે ચાલવા નીકળ્યો હતો. તે દરમિયાન રાતે સવા બાર વાગ્યે ખોડિયાર નગર ચાર રસ્તા પાસે વૈકુંઠ – ૨ પાસે તે પડી જતા તેને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસ તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, આરિફને ખેંચની બીમારી હતી. તેના કારણે જ તે પડી જતા તેનું મોત થયું હોવાની શક્યતા છે. તેના શરીર પર બાહ્ય ઇજાના કોઇ નિશાન નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular