ભજન સમ્રાટ અનુપ જલોટા વર્ષોથી ભક્તિ ગીતો ગાઈને લોકોના દિલમાં રાજ કરે છે. બિગ બોસમાં દેખાયા બાદ તેમની ઈમેજ ઘણી બદલી ગઈ છે. તેઓ શોમાં જસલીન મથારૂ સાથેના સંબંધને લઈને ચર્ચામાં રહ્યા.
અનુપ જલોટાને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તમને નથી લાગતું કે બિગ બોસમાં તમારી અલગ ઈમેજ જોઈને તમને આદર્શ માનવાવાળા લોકોને ઠેસ પહોંચશે? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, “જે વ્યક્તિ સારા ભજન ગાય છે તેમને લઈને લોકોના મનમાં અલગ ઈમેજ હોય છે. લોકો વિચારે છે કે તેમના હાથમાં કમંડલ હશે, તેણે ધોતી પહેરેલી હશે. તેને ભજન ગાવાની સજા આપવામાં આવશે. અરે તેને ઇનામ આપો ભજન ગાવાનું. મને પણ જિંદગીની મજા લેવા દો કે પછી તમે મને સજા આપવા માગો છો કે હું હિમાલય ચાલ્યો જાઉં. બિગ બોસમાં મને જવા દો, મજા કરવા દો. જે સત્ય હતું એ તો મેં તમને કહી દીધું છે.
“શું અનુપ જલોટાને વારંવાર પ્રેમ થાય છે? આ સવાલના જવાબમાં તેમણે મજાક કરતા કહ્યું કે હજુ બે-ચાર વખત બાકી છે. ત્યારબાદ મિર્ઝા ગાલિબનો એક શેર સંભળાવીને અનુપ જલોટાએ કહ્યું- દિલ મોહબ્બત સે ભર ગયા ગાલિબ, અબ કિસી પર ફિદા નહીં હોતા. અબ બિગ બોસ હોતા હૈ લેકિન દિલ કિસી પર ફિદા નહીં હોતા.
અનુપ જલોટાએ કહ્યું કે હું ઈચ્છું છું કે લોકો મને વર્સેટાઈલ સિંગર તરીકે યાદ રાખે. લોકો એ યાદ રાખે કે આ વ્યક્તિ હંમેશા સત્ય બોલે છે. ખોટું નથી બોલતો. તેમણે કહ્યું કે બિગ બોસમાં ગયા બાદ તેમની ફેન ફોલોઈંગ ત્રણ ગણી વધી ગઈ છે.