‘ધુરંધર’ની હિરોઈન સારા અર્જુનની આગામી ફિલ્મ ઈશાન ખટ્ટર સાથે હોવાની શક્યતા છે. આ ફિલ્મ ઝોયા અખ્તર બનાવી રહી છે.

ઝોયાએ આ ફિલ્મની સ્ક્રિપ્ટની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના પર કબીર અને નવ્યા એમ બે નામ લખેલા જોવા મળ્યાં હતાં. જોકે, તેણે સ્ટારકાસ્ટની વિગતો આપી નથી. ફિલ્મનું દિગ્દર્શન વરેન સિંહ કરી રહ્યા હોવાનું કહેવાય છે.
‘ધુરંધર’ની સફળતાથી સારા અર્જુન ચર્ચામાં આવી ગઈ છે. જોકે, તેનો હવે પછીનો પ્રોજેક્ટ જ તેની કારકિર્દીની ભાવિ દિશા નક્કી કરશે.

