સુરતના અલથાણમાં થયેલા બુટલેગરની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ત્રણ આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે. ઉછીના લીધેલા પૈસાની લેતીદેતીમાં હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. 50 હજાર લીધા બાદ પરત ન આપતા આરોપીઓએ બુટલેગરની હત્યા કરી હતી.
રાજ્યમાં અવારનવાર હત્યાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના અલથાણમાં થયેલા બુટલેગરની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ત્રણ આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે. ઉછીના લીધેલા પૈસાની લેતીદેતીમાં હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. 50 હજાર લીધા બાદ પરત ન આપતા આરોપીઓએ બુટલેગરની હત્યા કરી હતી. આ ઉપરાંત દારૂના વેપલામાં પણ હત્યા કરી હોવાની ચર્ચા થઈ રહી છે. મૃતક તેમજ ઝડપાયેલ આરોપીઓ બુટલેગર હોવાનું સામે આવ્યુ છે. CCTV ફૂટેજને આધારે આરોપીઓ ઝડપાયા છે.સુરતમાં બુટલેગરની હત્યા કરી દેવામાં આવી છે. આરોપી પ્રદીપ શુક્લા સહિત ત્રણ શખ્સોએ બુટલેગર પર જીવલેણ હુમલો કર્યો અને તેને મોતના ઘાટ ઉતારી દીધો. હત્યાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હત્યાની ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે તપાસ કરી છે.