છોટાઉદેપુર નગરપાલિકાના ઉપ પ્રમુખ જાકીર દડી સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાતા ખળભળાટ મચી હતી. ઉલ્લેખનીય છે કે, બીજી ટર્મમાં પ્રમુખ તરીકે નરેન જયસ્વાલ બિનહરીફ જાહેર થયા હતા. પરંતુ ટૂંક સમયમાં જ તેઓની સામે 28 પૈકી 25 સભ્યોની બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવતા.
જાકીરભાઇ દડીને નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકેનો કાર્યભાર સોંપાયો હતો. જો કે તેઓની સામે પણ ટૂંક સમયમાં જ કેટલાક સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.
જે અંગેની મિટિંગ છોટાઉદેપુર પ્રાંત અધિકારી કલ્પેશ ઉનટકરના અધ્યક્ષ સ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઇ હતી. જેમાં 28 સભ્યો પૈકી 19 સભ્યોની બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ હતી.
રિપોર્ટર : ઈરફાન મકરાણી, CN24NEWSકદવાલ