મોટાવાસ વિસ્તારો પાછળ આવેલ વાડી વિસ્તારમાં સર્જાઈ મારામારી
પાણી વેરવા તેમજ ખોદકામ કર્યા બાબતે મારામારી થઇ હોવાનું આવ્યું સામે
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના મોટાવાસ વિસ્તારો પાછળ આવેલ વાડી વિસ્તારમાં મારામારીનો બનવા બનવા પામ્યો હતો. ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી વાડી વિસ્તારમાં રહેતા બળદેવભાઈ ખુશાલભાઈ પરમાર ના જણાવ્યા પ્રમાણે જેઓની ઉપર ત્રણ વ્યક્તિઓએ ઈંટો જેવા બોથડ પદાર્થથી હુમલો કર્યો હતો જેમાં બળદેવભાઈ ઈજાગ્રસ્ત બન્યા હતા.
ત્યારે આ ઝગડો પાણી વેરવા તેમજ ખોદકામ કર્યો બાબતે થયો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ ઝગડામા ઈજાગ્રસ્ત બળદેવભાઈ હોસ્પિટલ સારવાર અર્થે દોડી આવ્યા હતા અને હોસ્પિટલમા મારામારી બાબતે એમ.એલ.સી. નોંધાઈ હતી.
reporter: કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર