BREAKING NEWS : ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યુ, 4ના મોત

0
84
meetarticle

એહવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યુ હોવાનું સામે આવ્યું છે. ગંગોત્રી ધામ અને મુખવા પાસે ધરાલી ગામમાં મંગળવારે વાદળ ફાટતા એક નહેરનું પાણી બહુ ઝડપથી પહાડથી નીચેના વિસ્તારોમાં ધસી આવ્યું. આ ઘટના ઘણી ગંભીર છે. નહેરના પાણીની સાથે ઘણો કાટમાળ પણ આવ્યો છે. આશંકા છે કે જેમાં કેટલાક લોકો દટાયા હોઇ શકે, 60 લોકો ગુમ થયા હોવાની આશંકા જણાઇ રહી છે. જ્યારે 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

રાહત-બચાવ કામગીરી તેજ 
વાદળ ફાટ્યા પછી નાળાનું પાણી ફેલાઇ જતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગે અકસ્માતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. રાહત અને બચાવ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here