કાલથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થશે. નવરાત્રિમાં નવ દિવસ સુધી પૂજા અને ઉપવાસમાં કરવામાં આવે છે. નવરાત્રિમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ માટે ઉપવાસ પહેલાં બોડીને તૈયાર કરવી ખૂબ જરૂરી છે. બોડીને તમે પૂરી રીતે ડિટોક્સ કરીને પછી ઉપવાસ કરો છો તો શરીરને કોઇ તકલીફ પડતી નથી.
આ સાથે તમારા શરીરમાં સ્ટેમિના બની રહે છે. આ માટે જરૂરી છે કે નવરાત્રિના ઉપવાસ પહેલાં તમે તમારી બોડીને આ રીતે પહેલાં તૈયાર કરી લો. આ રીતે તમે ફાસ્ટિંગ કરશો તો શરીરનું પાચન તંત્ર સારુ થશે અને સાથે લિવરની તાકાત પણ વધશે.હવે તો Scientifically પણ આ વાત સાબિત થઇ ગઇ છે કે ફાસ્ટ રાખવાથી એક ખાસ રીતનું પ્રોટીન બને છે જે લિવરના ફેટી એસિડ અને મેટાબોલિઝમને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. આટલું જ નહીં વ્રત રાખવાથી અનેક બીમારીઓના જોખમને તમે દૂર કરી શકો છો.એક સ્ટડી અનુસાર નોન આલ્કોહોલિક ફેટી લિવરના દર્દીઓએ ત્રણ મહિના સુધી એક દિવસ છોડીને ઉપવાસની સાથે દરરોજ વર્કઆઉટ કરાવવામાં આવ્યુ. પરિણામ એવુ મળ્યુ કે લિવર ફેટમાં ઉણપ આવી અને ઇન્સ્યુલિન સેન્સેટિવિટી વધી ગઇ. આનો મતલબ થાય છે કે લિવર તો ફેટી થયુ પરંતુ બ્લડ સુગર પણ હેલ્ધી લેવલ પર આવી ગયુ. ભારતમાં દર ચારમાંથી એક વ્યક્તિનું લિવર ફેટી છે. એવામાં નવરાત્રિના દિવસો તમારા માટે બેસ્ટ છે. તો જાણો નવ દિવસ ઉપવાસ કરવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે.