રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકારણમાં આજે નવાજૂનીના એંધાણ છે. રીબડામાં જયરાજસિંહ જૂથે લેઉવા પાટીદારનું સંમેલન બોલાવ્યું છે જે આજે સાંજે ચાર વાગ્યે મળવાનું છે. કોંગ્રેસે સમાજના નામે આયોજિત સંમેલનનો વિરોધ કર્યો છે. ગોંડલ કોંગ્રેસના પ્રમુખે કહ્યું જયરાજસિંહ પોતાનું રક્ષણ કરી શકતા નથી લેઉવા પટેલ નું શું રક્ષણ કરવાના.
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલનાં સહયોગથી મહાસંમેલન યોજશે. રાજકોટ જિલ્લા ભાજપનાં આગેવાનો અને ધારાસભ્યો આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. રીબડા ખાતે યોજાનાર સંમેલનની જાહેરાત થતા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. લેઉવા પાટીદાર સમાજને જયરાજસિંહનો હાથો ન બનવાનું આશિષ કુંજડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આજે ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજા જૂથ દ્વારા રીબડામાં લેવા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજવાનું છે. આ મહા સંમેલનને લઈને ગોંડલનો રાજકારણ ગરમાઈ ગયું છે. સંમેલનમાં રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સંમેલનને લઈને હાલમાં તૈયારી શરૂ છે. આમંત્રણ પત્રિકામાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશનું નામ લખવામાં આવ્યું છે.
અનિરુદ્ધસિંહ જાડેજાના ગઢ રીબડામાં આયોજિત પાટીદાર સમાજના મહા સંમેલનને જયરાજસિંહ જાડેજા જૂથનું પીઠબળ છે. જયરાજસિંહ જૂથે અનિરુદ્ધસિંહના રીબડા જૂથને તેના ગઢમાં ચેલેન્જ આપી છે. બંને સિંહની લડાઈમાં કયું જૂથ વિજેતા થાય તે જોવું રહ્યું છે.