Friday, May 3, 2024
Homeદેશઝારખંડના ધનબાદમાં હાઈટેન્શન વીજળીનો તાર રેલવે ફાટક પર પડ્યો, 5 લોકોના મોત

ઝારખંડના ધનબાદમાં હાઈટેન્શન વીજળીનો તાર રેલવે ફાટક પર પડ્યો, 5 લોકોના મોત

- Advertisement -

ઝારખંડમાં હાવડા-નવી દિલ્હી રેલવે લાઈનના ધનબાદ ગોમો વચ્ચે નિચિતપુર રેલ ફાટક પર 25000 વોલ્ટનો ઈલેક્ટ્રિક વાયર પડવાને કારણે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાને પગલે રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. કાલકાથી હાવડા જતી ડાઉન નેતાજી એક્સપ્રેસને તેતુલમારી સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.

હાવડાથી બિકાનેર જતી પ્રતાપ એક્સપ્રેસને ધનબાદ સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. રેલ્વે અધિકારીઓ અને રેલવેના ડોકટરો રોડ માર્ગે ઘટના સ્થળે રવાના થયા છે. ધનબાદથી અકસ્માત રાહત મેડિકલ વાન ખોલવામાં આવી હતી. હાઇ ટેન્શન ઈલેક્ટ્રિક વાયરથી અનેક લોકો દાઝી ગયા હોવાના પણ અહેવાલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular