Tuesday, May 14, 2024
HomeગુજરાતGUJARAT: રાહુલ ગાંધીના 'રાજા-મહારાજા'ના નિવેદન પર 'રાજકારણ'

GUJARAT: રાહુલ ગાંધીના ‘રાજા-મહારાજા’ના નિવેદન પર ‘રાજકારણ’

- Advertisement -

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ સામેના નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે.ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ સામેના નિવેદન અંગેનો મામલો હજી પણ શાંત નથી પડી રહ્યો. રાજપૂત સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ સામેના નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે.

કર્ણાટકની એક સભામાં રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે ટિપ્પણી કરી છે. જે બાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીને નિશાને લીધા છે.હર્ષ સંઘવીએ ટ્વિટર પર રાહુલ ગાંધીનું નિવેદન પોસ્ટ કરીને લખ્યુ છે કે, કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજઓએ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular