ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. અભિનેત્રીની પીઆર ટીમના જણાવ્યા અનુસાર, દિવ્યાંકાને અકસ્માત થયો છે. અકસ્માત બાદ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દિવ્યાંકાના અકસ્માત બાદ તેના પતિ અને અભિનેતા વિવેક દહિયાએ પણ તેના તમામ કાર્યક્રમો કેન્સલ કરી દીધા છે, આ અંગેની માહિતી પણ પોસ્ટમાં આપવામાં આવી છે.હાલ દિવ્યાંકા ડૉક્ટરોની દેખરેખમાં છે. દિવ્યાંકા ત્રિપાઠીની પીઆર ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં માહિતી આપતા તેણે કહ્યું કે દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત થયો છે. આ કારણોસર તેના પતિ વિવેક દહિયાએ પણ તેનું લાઇવ સેશન કેન્સલ કરી દીધું છે. પોસ્ટમાં લખ્યું છે કે ‘અમને જણાવતા દુઃખ થાય છે કે વિવેકનું આવતીકાલનું લાઇવ સેશન રદ કરવામાં આવ્યું છે. દિવ્યાંકાને થોડા કલાકો પહેલાં અકસ્માત થયો હતો અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. તેના સ્વસ્થ થયા બાદ વિવેક તેની સાથે છે. તમારા સમર્થન બદલ અમે તમારો આભાર માનીએ છીએ. વિવેક જલદી તમારી સાથે જોડાશે.
વિવેક દહિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર દિવ્યાંકાના એક્સ-રે શેર કર્યા છે. તેણે તેની સાથે લખ્યું ‘દિવ્યાંકાના હાથના બે હાડકાં તૂટી ગયા છે. તેણે સર્જરી કરાવી છે. નોંધનીય છે કે દિવ્યાંકા ત્રિપાઠીએ થોડા સમય પહેલાં જ અંડરલાગ સર્જરી કરાવી છે. દિવ્યાંકાએ એક પોસ્ટ શેર કરીને તેના ફેન્સને આ વિશે જાણકારી આપી હતી. મારી સર્જરી થઈ ત્યારથી લઈને રિકવરી સુધી મે મારા રૂટિનનું ખૂબ કડક રીતે ફોલો કર્યું છે. મારા ચહેરા પર જે સ્માઇલ દેખાઈ રહી છે તેનું કારણ મારા પતિ છે, જેમણે મારી સ્મિતને એક ક્ષણ માટે પણ ઓછી થવા દીધી નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિવ્યાંકા ત્રિપાઠી ‘યે હૈ મોહબ્બતેં હૈં’થી દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ હતી. આ શોમાં દિવ્યાંકા પહેલીવાર વિવેક દહિયાને મળી હતી. આ શોથી જ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. થોડો સમય રિલેશનશિપમાં રહ્યા બાદ દિવ્યાંકા અને વિવેકે લગ્ન કરી લીધા હતા.