ઈરાન યુદ્ધની અસર હવે શ્રીલંકામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. શ્રીલંકન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે ૨૫ ટકાનો વધારો કર્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં આ બીજો ઇંધણ ભાવ વધારો છે, જેનાથી સામાન્ય માણસ પર ફુગાવાનો બોજ વધુ વધ્યો છે.

નવા દરો અનુસાર, શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ આશરે રૂ. ૩૯૮ (શ્રીલંકા) પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ ભાવ અગાઉ રૂ. ૩૧૭ હતો. ડીઝલના ભાવ પણ વધારીને રૂ. ૩૮૨ (શ્રીલંકા) પ્રતિ લિટર કરવામાં આવ્યા છે.
શ્રીલંકન સરકારનું કહેવું છે કે આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધથી તેલ પુરવઠા પર અસર પડી રહી છે અને પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. અગાઉ, સરકારે ભાવમાં આશરે ૮ ટકાનો વધારો કર્યો હતો અને બળતણ વપરાશ ઘટાડવા માટે રેશનિંગ લાગુ કર્યું હતું.વિશ્લેષકો માને છે કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તે શ્રીલંકાના અર્થતંત્રને વધુ તાણમાં મૂકી શકે છે, કારણ કે દેશ પહેલેથી જ આર્થિક કટોકટીમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
શ્રીલંકાની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યું હતું કે તેઓ તાજેતરના બળતણ ભાવ વધારાથી બળતણ વપરાશમાં ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો થવાની આશા રાખે છે.
ગયા બુધવારે, શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ૪-દિવસના કાર્ય સપ્તાહના અમલીકરણનો આદેશ આપ્યો હતો.

