અમદાવાદ: શહેરના આનંદનગરમાં હરણી સર્કલ પાસે આવેલા દેવઓરમ કોમ્પ્લેક્ષ ના 9મા અને 10મા માળે ભીષણ આગ લાગી હતી. આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાં પહોંચીને આગ લાગેલા ફ્લોર પરથી લોકોને બહાર કાઢવા બચાવ કામગીરી આરંભી હતી. જેના માટે હાઈડ્રોલિક ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોમ્પલેક્સના 9મા અને 10મા માળે અનેક લોકો ફસાયા હોવાનું માનવામાં આવે છે. આગને પગલે ધુમાડો કોમ્પ્લેક્સમાં ફેલાતા લોકો પરેશાન થયા હતા. જેને પગલે આખું કોમ્પ્લેક્સ ખાલી કરાવાયું હતું.