- Advertisement -
બાબરામાં ભગતસિંહ યુવા સમિતિ દ્વારા ૨૩ માર્ચ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અહીં સમિતિના સભ્યો દ્વારા શહેરમાં દેશના વીર ક્રાંતિકારી તેમજ જમ્મુ કાશ્મીરના પુલવાના હુમલામાં શહીદી વ્હોરનાર વીર જવાનો સમિતના સભ્યો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
બાબરા શહેરમાં દેશના વીર ક્રાંતિકારી ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ,આઝાદ,તેમજ પુલવામાં શહીદ થનાર દેશના વીર જવાનો ના ફોટા સાથે આ ભગતસિંહ યુવા સમિતિ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી દેશ ભક્તિના ગીતો સાથે નીકળેલ આ તિરંગા યાત્રા માં સ્થાનિક લોકો દ્વારા પણ વીર જવાનો ને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી તેમજ પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા,દ્વારા પણ શહીદો ને પુષ્પાંજલિ અર્પણ કરી વીર જવાનો ને નમન કરવામાં આવ્યા હતા