બજેટમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં ટ્રેડ્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવાની જાહેરાત નજીકના ભવિષ્યમાં વિદેશી રોકાણકારો ભારતમાંથી હવે વધુ ભંડોળ પાછું ખેંચે તેવી શક્યતા છે. આમ પણ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે, ગત જાન્યુઆરી માસમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા ભારતીય શેરબજારમાંથી આશરે રૂ. ૩૬,૦૦૦ કરોડ (આશરે ૩.૯૭ બિલિયન ડોલર) પાછા ખેંચી લીધા હતા.

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીના ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એ જાન્યુઆરીમાં ભારતીય શેરબજારમાંથી રૂ. ૩૫,૯૬૨ કરોડની પાછા ખેંચી લીધા હતા.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એ અગાઉ ૨૦૨૫માં ભારતીય બજારમાંથી લગભગ રૂ. ૧.૬૬ લાખ કરોડ (૧૮.૯ બિલિયન ડોલર)ની રેકોર્ડ રકમ પાછી ખેંચી લીધી હતી. તે સમયે, અસ્થિર ચલણ બજારો, વૈશ્વિક વેપાર તણાવ, સંભવિત યુએસ ટેરિફ અને ઉચ્ચ બજાર મૂલ્યાંકને વિદેશી મૂડી પર અસર કરી હતી.બજારના જાણકારો એ જણાવ્યું હતું કે ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં એટીટીમાં વધારો નજીકના ભવિષ્યમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના પ્રવાહ માટે હળવો નકારાત્મક પરિબળ હોઈ શકે છે, ખાસ કરીને અત્યંત તેજીવાળા અને ડેરિવેટિવ્ઝ-કેન્દ્રિત વૈશ્વિક ભંડોળ માટે. તેનાથી સોદાના વોલ્યુમને અસર થશે અને વ્યૂહાત્મક ભાગીદારી ધીમી થવાનું જોખમ છે.ટકાઉ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના પ્રવાહ માટે, રોકાણકારો ફક્ત વૃદ્ધિની સંભાવનાઓને બદલે વ્યાપક સ્થિરતા, રૂપિયાની ગતિશીલતા અને કર નીતિમાં સુસંગતતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.
૨૦૨૬-૨૭ માટેના તેમના બજેટ ભાષણમાં, નાણામંત્રીએ ફ્યુચર્સ પર એસટીટી ૦.૦૨%થી ૦.૦૫% અને ઓપ્શન પ્રીમિયમ અને ઓપ્શન કોન્ટ્રેક્ટ પર એસટીટી અનુક્રમે ૦.૧૦% અને ૦.૧૨૫%થી ૦.૧૫% કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
યુએસ-યુરોપ વેપાર તણાવ, ગ્રીનલેન્ડ વિવાદ સંબંધિત ટેરિફ ધમકીઓ, મજબૂત ડોલર, ઉચ્ચ બોન્ડ યીલ્ડ, ડોલર દીઠ રૂપિયો ૯૦-૯૨ સુધી ઘટવા અને ઉચ્ચ બજાર મૂલ્યાંકનને કારણે પણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતથી દૂર થયા છે. વિકસિત બજારોમાં ઊંચા વ્યાજ દરો, મજબૂત ડોલર અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓએ ઉભરતા બજારો માટે જોખમ લેવાની ક્ષમતા ઘટાડી છે. સાથોસાથ વિદેશી રોકાણકારો પણ સાવધ રહ્યા છે.

