સ્વસ્થ રહેવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. તેથી દરરોજ પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતું પાણી પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે ખોટી રીતે પાણી પીઓ છો તો તે તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે. ઓછા સમયમાં વધુ પડતું પાણી પીવાથી વૉટર ટૉક્સિસિટીની સમસ્યા થઈ શકે છે. તો ચાલો જાણીએ કે શું છે આ સમસ્યા અને એક દિવસમાં કેટલું પાણી પીવું યોગ્ય છે.

શું હોય છે વૉટર ટૉક્સિસિટી
તેને વૉટર ઇનટૉક્સિકેશન અથવા વૉટર પૉઈઝનિંગ પણ કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જે ત્યારે થાય છે જ્યારે વધુ પડતું પાણી પીવાથી લોહીમાં સોડિયમનું સ્તર ખતરનાક રીતે ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં, જો તેને ઓળખીને તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તેનાથી સમસ્યા થઈ શકે છે. સોડિયમ શરીરના કોશિકાઓમાં અને તેની આસપાસ પ્રવાહીનું સંતુલન જાણવી રાખવા માટે જરૂરી હોય છે. જ્યારે ઓછા સમયમાં વધુ પડતું પાણી પીવામાં આવે છે, ત્યારે લોહીમાં સોડિયમનું સ્તર પાતળું થઈ જાય છે. આનાથી ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનની સમસ્યા થઈ જાય છે, જેનાથી કોશિકાઓમાં સોજો આવી શકે છે.
કેટલું પાણી યોગ્ય છે
અહેવાલો અનુસાર, વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 1.2 થી 1.5 લિટર પાણી પીવું જોઈએ અને હાઈ પ્રોટીન ડાયેટ લેનારા લોકોએ દિવસમાં 2.5 થી 3 લિટર પાણી પીવું જોઈએ. જે લોકો નિયમિત કસરત કરે છે તેઓએ કસરત પહેલાં, દરમિયાન અને પછી પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ કારણ કે એક્ટિવ હોવ ત્યારે શરીર વધુ લિક્વિડ ગુમાવે છે.

