NATIONAL : મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન’ જેલના સળિયા પાછળ: ૧૫૦૦ કરોડનું સામ્રાજ્ય અને ૧૦૦થી વધુ મહિલાઓનું યૌન શોષણ!

0
15
meetarticle

“લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે” – આ કહેવત મહારાષ્ટ્રના નાસિકમાં અક્ષરશઃ સાચી પડી છે. ગુજરાતને પાખંડીઓનું સ્વર્ગ માનનારાઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાને ન્યુમરોલોજિસ્ટ અને જ્યોતિષી ગણાવતો ૬૭ વર્ષીય પાખંડી અશોક ખરાત અત્યારે પોલીસના સકંજામાં છે. ૧૮ માર્ચ ૨૦૨૬ના રોજ થયેલી તેની ધરપકડ બાદ જે વિગતો બહાર આવી છે, તે જોઈને ભલભલાના રુંવાડા ઉભા થઈ જાય તેમ છે.


શું હતી મહિલાઓને ફસાવવાની ‘મોડસ ઓપરેન્ડી’?

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ખરાત માત્ર જ્યોતિષી નહોતો, પણ એક રીઢો ગુનેગાર હતો જે મનોવૈજ્ઞાનિક રમત રમીને મહિલાઓને શિકાર બનાવતો હતો:

  • તકલીફોનો ફાયદો: નિઃસંતાનપણું, ઘરેલું કંકાસ કે આર્થિક મુશ્કેલીઓ લઈને આવતી ભણેલી-ગણેલી મહિલાઓને તે સોફ્ટ ટાર્ગેટ બનાવતો.
  • મોતનો ડર અને ‘જાદુઈ પાણી’: “તમારા પતિનું ટૂંક સમયમાં મૃત્યુ થશે” એવો ડર બતાવી, વિધિના નામે નશીલા પદાર્થ યુક્ત ‘જાદુઈ પાણી’ પીવડાવી મહિલાઓને બેભાન કરી તેમનું શોષણ કરતો.
  • હાઈટેક બ્લેકમેલિંગ: ઓફિસમાં છુપા કેમેરા લગાવીને અશ્લીલ વીડિયો ઉતારતો. પોલીસને આવા ૧૦૦ જેટલા વીડિયો મળ્યા છે, જેના દમ પર તે મહિલાઓને વારંવાર લૂંટતો અને શારીરિક શોષણ કરતો.
  • ભ્રમનું વાતાવરણ: ઓફિસમાં રિમોટ કંટ્રોલથી ચાલતા નકલી સાપ અને વન્યજીવોની ચામડી રાખીને તે ‘અલૌકિક શક્તિ’ હોવાનો ડોળ કરતો.
    સત્તા અને ભક્તિનું શરમનાક જોડાણ
    આ કેસમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે મહારાષ્ટ્ર મહિલા આયોગના અધ્યક્ષા રૂપાલી ચાકણકરના ફોટા અને વીડિયો વાયરલ થયા. જે મહિલાઓના હકની રક્ષા કરવાની જવાબદારી સંભાળતા હતા, તેઓ જ આ પાખંડીના ચરણોમાં બેસીને તેની આરતી ઉતારતા અને પગ ધોતા જોવા મળ્યા! પરિણામે, સરકારે તેમનું રાજીનામું લઈ લીધું છે.
    VVIP નેટવર્ક અને ૧૫૦૦ કરોડની માયાજાળ
    ખરાતની પહોંચ માત્ર સામાન્ય લોકો સુધી જ નહીં, પણ નેતાઓ, બિલ્ડરો અને IAS-IPS અધિકારીઓ સુધી હતી. ૧૬ એકરમાં ફેલાયેલું ૧૮ કરોડનું આલીશાન ફાર્મહાઉસ અને અંદાજે ૧૫૦૦ કરોડની સંપત્તિ તેની ‘કાળી કમાણી’ની સાક્ષી પૂરે છે. વિપક્ષોએ આને ‘મહારાષ્ટ્રની એપસ્ટીન ફાઇલ્સ’ ગણાવીને ઊંડી તપાસની માંગ કરી પાક્કો ગુજરાત વ્યૂ: > સવાલ એ છે કે બીજાનું ભવિષ્ય જોવાનો દાવો કરનારા આ પાખંડીઓ પોતાનું ભવિષ્ય કેમ નથી જોઈ શકતા? જેલમાં જવાનું જ્યોતિષ તેમને કેમ નથી દેખાતું? ભણેલા-ગણેલા લોકો જ્યારે અંધશ્રદ્ધાના રવાડે ચઢે છે ત્યારે અશોક ખરાત જેવા ‘રાક્ષસો’ જન્મે છે. જાગો જનતા જાગો, ચમત્કારોના નામે લૂંટાવાનું બંધ કરો!
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here