ચીનના જિનજિયાંગ શહેરમાં એક જૂતાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 28 લોકો માર્યા ગયા હતા. કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયે પૂર્વી ચીનના ફુજિયાન પ્રાંતના જિનજિયાંગ શહેરમાં બચાવ અને રાહત કામગીરીનું માર્ગદર્શન આપવા માટે એક સંયુક્ત ટાસ્ક ફોર્સ રવાના કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આગ બપોરે 12 વાગ્યાની આસપાસ લાગી હતી.
રાજ્ય સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને શોધ અને બચાવ કામગીરીમાં દરેક શક્ય પ્રયાસ કરવા, ઘટનાના કારણની તપાસ કરવા અને જવાબદારી નક્કી કરવા સૂચના આપી છે.

જિનપિંગે દોષીઓને કડક સજા આપવાની કરી વાત
શી જિનપિંગે કહ્યું, “અકસ્માતનું કારણ શક્ય તેટલી વહેલી તકે ઓળખવું જોઈએ, અને જવાબદારોને કડક સજા થવી જોઈએ.” ઇમારતના નીચેના માળે ભીષણ આગ લાગી હતી. લોકો બારીઓ અને છત પર જીવ બચાવવા માટે ભાગતા જોઈ શકાય છે. કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે આગ ઓલવવા, ફસાયેલા લોકોને શોધવા અને ઘાયલોની સારવાર માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

