Wednesday, May 1, 2024
Homeગુજરાતઆવેદનપત્ર : વડાપ્રધાનને સંબોધીને દહેગામનાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

આવેદનપત્ર : વડાપ્રધાનને સંબોધીને દહેગામનાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

- Advertisement -

 

કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા આઈડેન્ટીટી ચેક કરીને ફક્ત હિન્દુઓની જ કત્લેઆમ કરવામાં આવી રહી છે. તેના વિરોધમાં ડો.પ્રવિણ તોગડિયા પ્રેરિત સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા સોમવારે વડાપ્રધાનને સંબોધીને દહેગામનાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રીય બજરંગદળનાં જિલ્લા અધ્યક્ષ અમિત ઉપાધ્યાય, ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી મહાદેવ રબારી, દહેગામ શહેર અધ્યક્ષ હિતેશ ચૌહાણ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશનાં વડાપ્રધાન પાસે જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદ નાબૂદ થાય તેદિશામાં નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળે દહેગામના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. કાશ્મીરમાં હિંદુઓની હત્યા મુદ્દે દહેગામ તાલુકામાં ભારે વિરોધ સાથે વિવિધ સંગઠનોના નેતાએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular