- Advertisement -
લોકસભા 2024ની ચૂંટણી જાહેરાત થઈ ચૂકી છે. દરેક પાર્ટીએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. તમામ પાર્ટીના ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં સભાઓ અને બેઠકો કરી રહ્યા છે.
આજરોજ છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા રાજપીપળા ખાતે આવી પહોંચ્યા હતા. તેઓએ રાજપીપળામાં આવેલ પૌરાણિક હરસિધ્ધિ માતાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ રાજપીપળા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.