ત્રણ દેશોના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં બહેરીનના પ્રવાસે છે, ત્યારે બહેરીન સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખાડી દેશની પહેલી યાત્રા દરમિયાન સદ્ભાવ પ્રદર્શિત કરતા 250 ભારતીય કેદીઓની સજા રવિવારના રોજ માફ કરી દીધી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ શાહી માફી માટે બહેરીનના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. ઓફિશિયલ આંકડા મુજબ વિવિધ વિદેશી જેલોમાં 8189 ભારતીય બંધ છે, જેમાં સાઉદી અરબમાં સૌથી વધુ 1811 અને ત્યાર બાદ UAEમા 1392 ભારતીય જેલમાં બંધ નથી. એ સ્પષ્ટ નથી કે બહેરીનની જેલમાં કેટલા ભારતીય કેદ છે.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, સદાશયતા અને માનવીય સદ્ભાવ અંતર્ગત બહેરીન સરકારે બહેરીનમાં સજા કાપી રહેલા 250 ભારતીયોને માફી આપી છે. પ્રધાનમંત્રીએ બહેરીનના શાહ અને સમગ્ર શાહી પરિવારને તેમના આ નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો હતો.