વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલો
કેટલાક જવાન ઈજાગ્રસ્ત
જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના વાહનોના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો. સુરક્ષા અધિકારીઓના જણાવ્યાનુસાર, આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલો સુરનકોટના સનાઈ ગામમાં થયો હતો. જ્યાં ભારતીય સેના અને પોલીસની વધુ ટુકડીઓ વિસ્તારમાં મોકલવામાં આવી છે. આ હુમલામાં પાંચ જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાની શક્યતા છે. રાષ્ટ્રીય રાયફલ્સ યૂનિટના સ્થાનિક એકમે વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. એરફોર્સના વાહનોને શાહસિતારની નજીકના એરબેઝમાં સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા છે. હાલ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. મહત્વનું છે કે, આ વર્ષે ફોર્સ પર આતંકવાદીઓનો આ પહેલો મોટો હુમલો છે.