GUJARAT : ગણેશ વિસર્જન માટે અંકલેશ્વરમાં બે કૃત્રિમ કુંડ તૈયાર: પર્યાવરણની સુરક્ષા માટે અનોખી પહેલ

0
111
meetarticle

અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળે ગણેશ મહોત્સવ દરમિયાન પર્યાવરણની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. ESIC હોસ્પિટલ નજીક બે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં શ્રદ્ધાળુઓ 5 ફૂટ સુધીની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરી શકશે.


આ કુંડ બનાવવાનો મુખ્ય હેતુ નદીઓ અને અન્ય જળાશયોમાં થતા જળ પ્રદૂષણને અટકાવવાનો છે. વર્ષોથી અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આ પ્રકારના કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવે છે, જે પર્યાવરણ જાળવણી માટે એક સકારાત્મક પગલું છે.
વિસર્જન બાદ, મૂર્તિઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી નદીઓ અને જળાશયોનું પ્રદૂષણ અટકશે અને જળચર જીવોના જીવનની રક્ષા થશે. આ પહેલ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને ઉદ્યોગ મંડળનો સહયોગ પ્રશંસનીય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here