Wednesday, May 1, 2024
Homeદહેગામ : બાયડ રોડ પર લોખંડ બનાવતી વિનાયક ટીએમટી કંપનીમા કારીગરનુ મોત
Array

દહેગામ : બાયડ રોડ પર લોખંડ બનાવતી વિનાયક ટીએમટી કંપનીમા કારીગરનુ મોત

- Advertisement -

દહેગામ તાલુકાના ગોળા તળાવ (સાંપા) નો ત્રણ સંતાનનો પિતા વિનાયક ટીએમટી કંપનીમા ચાલુ નોકરી દરમિયાન મોત થતા સેવાતી આશંકાઓ.

દહેગામ મોસમપુરા પાટીયા પાસે વિનાયક ટીએમટી કંપનીમા ચાલુ ફરજ દરમિયાન કામદારનુ અચાનક મોત થતા પરિવારમા સેવાતી આશંકાઓ.

ગાંધીનગર જિલ્લાના દહેગામ બાયડ રોડ ઉપર જવાના મુખ્ય માર્ગ પર લોખંડ બનાવતી વિનાયક ટીએમટી કંપની આવેલી છે. અને આ કંપનીમા કારીગરો પાસે ગધામજુરી કરાવવામા  આવતી હોવાની માહિતી સાંપડી અને ફાયર સેફ્ટીના સાધનો વિના ચાલતી આ કંપનીમા કેટલાય મજુરો કામ કરે છે. અને આ કંપનીમા તારીખ- ૧૬//૧૧/૨૦૧૯ ના રોજ દહેગામ તાલુકાના સાંપા ગામના પેટાપરા એવા ગોળા તલાવ ગામે રહેતા કાળાજી ગાંડાજી ઠાકોર મજુરી કરી પોતાનુ જીવન નિર્વાહ ચલાવતો અને તેના ત્રણ સંતાનોનો પિતા છે. ત્યારે અચાનક ૧૬ તારીખે લોખંડની કંપનીમા કામ કરતો કાળાજી ને બપોરે ચાલુ ફરજ દરમિયાન મોત થવાની માહિતી પરિવારજનોને મળતા ઘરનો પરિવાર ભારે અચંબામા મુકાઈ ગયો છે. પરંતુ આ વિનાયક ટીએમ કંપનીમા અચાનક મોત કઈ રીતના થયુ તે મોટો સવાલ ઉભો થવા પામ્યો છે.

કંપનીના માલિકો સાચુ કારણ પરિવારને ન જણાવતા હોય તેવુ તેનમા પરિવારના ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. આ બાબતે ઘટતી તપાસ થાય અને મરનાર કાળાજીના પરિવારને યોગ્ય વળતર કંપની તરફથી મળે તેવી પરિવારની માંગ ઉભી થવા પામી છે.

  • મોત કઈ રીતના અચાનક થયુ તેમા સેવાતી આશંકાઓ

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular