ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકારે કરી ખેડૂતોની દરકાર
GMDC ગ્રાઉન્ડ ખાતે કેરી મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો
અમદાવાદના નાગરિકોને કેરીનો સ્વાદ મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજથી કેરી મહોત્સવ શરૂ થયો છે. અહીં ગીરની પ્રખ્યાત કેસર કેરીના વેપારીઓએ પોતાના સ્ટોલ લગાવ્યા છે.
મેયર બિજલબેન પટેલે આજે કેરી મહોત્સવને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં ખેડૂતોને પોતાના ઉત્પાદનનું પૂરતું વળતર મળી રહે તેમજ અમદાવાદના નાગરિકો કેરીનો સ્વાદ માણી શકે તે માટે કેરી મહોત્સવ અમદાવાદ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવ્યો છે.
કેરી મહોત્સવ માં 100થી પણ વધુ ખેડૂતો પોતાનો માલ સીધો જ ગ્રાહકોને વેચી રહ્યા છે. આજથી શરૂ થયેલા કેરી મહોત્સવમાં સવારથી જ લોકોએ કેરીની ખરીદી કરી હતી.