VADODARA : નિઝામપુરા બસ ડેપોમાં ખૂની હુમલો કરનાર ત્રણ પકડાયા,પોલીસે જાહેરમાં ફેરવ્યા

0
46
meetarticle

નિઝામપુરા બસ ડેપો પર બનેલા ખૂની હુમલાના બનાવમાં પોલીસે ત્રણેય હુમલાખોરોનો વરઘોડો કાઢ્યો હતો.

નવાયાર્ડ લાલપુરા સામે રામેશ્વરની ચાલીમાં રહેતા ધર્મેશ ઉર્ફે રાહુલ પાટિલ તેના મિત્ર કાલુ સાથે નિઝામપુરા બસડેપો પર પરોઢિયે ચા પીવા ગયો ત્યારે જૂની અદાવતને કારણે તન્મય ઉર્ફે સની જાધવ,ચિરાગ સોલંકી ઉર્ફે ેજડી અને વિરાજસિંહ પરમારે તેના પર ખૂની હુમલો કર્યો હતો.

ફતેગંજ પોલીસે આ બનાવના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા.જેમાં ત્રણેય હુમલાખોરો ધર્મેશને ખેંચી જતા દેખાય છે. ત્યારબાદ પોલીસે ખૂનના પ્રયાસના ગુનામાં ત્રણેયની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here